AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

મંગળવાર, 6 ઑક્ટોબર, 2015

ફાલ્ગુની પાઠક નો અનુભવ

Share & Comment

અકસ્માત ભય જાય, ટળે અકાળ મરણ



- ફાલ્ગુની પાઠક



- ફાલ્ગુની પાઠક

હરિ ૐ,
મહારાષ્ટ્ર કેન્દ્ર સરકાર અને એમ.ટી.ડી.સી. એ કોલ્હાપુરમાં અયોજીત કરેલા રંકાળા મહોત્સવમાં મારે સ્ટેજ શો કરવાનો હતો. તારીખ હતી 15 ફેબ્રઆરી 2001. 14 ફેબ્રુવારી એ સવારે ઇનોવ્હા ગાડી અને ડ્રાયવરને લઇને નીકળી રસ્તામાં લગભગ બપોરના 12.30 ના આસપાસ પુનામાં અમે ચહા-નાસ્તો ર્ક્યો. પ્રવાસમાં આગળ વધતા અમે પાછલી સીટમાં બેઠેલા હતા અને મને અને મારી સખીને ઝેકુ આવી ગયું. હું કાયમ મારા ડ્રાયવરની બાજૂની સીટમાં જ બેસુ છું પરંતુ ઇનોવ્હા ગાડીમાં પાછળની સીટમાં આડા પડવાની વ્યવસ્થા હોવાને કારણે હું પાછળ બેઠી હતી. સાતારા એક્સપ્રેસ હાય-વે પર અમારી ગાડી 120 કી.મી. ના વેગ થી દોડતી હતી અને મારી નજર પડી તો શું જોઉ છું ??? ડ્રાયવર પડગ ઝેકાખાતો હતો. બરાબર એજ સમયે એક એસ.ટી. સામેથી બમણા વેગથી આવી રહી હતી. મે તરતજ ડ્રાયવરને સાવધ ર્ક્યો. એણે જોરદાર બ્રેક મારતા જ અમારી ગાડી થોડી ડાબી બાજું વળી અને એસ.ટી. બસની સામે ન ટકરાતા થોડી સાઇડમાં ટકરાઇ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે અમારી ગાડીનો ખુરદો વળી ગયો. અેંજીન સાવ નકામા થઇ ગયા હતા. આગળના બંને પૈડા તૂટી ગયા હતા. ગાડીના આગળના કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અેંજીનમાંથી ગરમ વરાળ અને ઘૂમાડા નીકળી રહ્યા હતા. એસ.ટી. બસને પણ ડાબીબાજૂ એ જબરદસ્ત માર લાગ્યો હતો. પણ સૌથી મોટુ આશ્ર્ચર્ય એટલે અમને ત્રણેને તેમજ એસ.ટી. પેસેન્જરોને સાદો ઘસરડો પણ લાગ્યો ન હતો !



આ આખી ઘટના એટલી જલ્દી ઘટી ગઇ કે અમે બધા કંઇ જ સમજી શક્યા નહીં અને કેટલી વાર સુધી ગાડીમાં એમજે બેસી રહ્યા હતા ત્યા જ્મા પથેલા ગામવાળાઓ ગાડીને આગ લાગવાની શક્તયા હોવાથી અમને નીચે ઉતરી જળાની સૂચના કરી રહ્યા હતા. અમે ત્રણે જણા ધરપડી રહ્યા હતા અને જીભ સૂક્કી પડી ગઇ હતી. ``તમે બચી કેવી રીતે ગયા ?'' આ મોટો પ્રશ્ર્ન અમે તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ જોઇ રહ્યા હતા. ત્યાસુધીમાં પોલીસ પણ ત્યાં આવી ગઇ અને તપાસ શરૂ કરી. અમને પોલિસ સ્ટેશનપર આવવા જણાવ્યુ. પરંતુ અમારી સાથે સ્ટેજ શો નો બધો સામાન હોવાથી પહેલા તેને હલાવવો વધારે જરૂરી હતો. અમે એ સામાનની ચિંતમાં હતા એટલામાં જ સામે એક સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલા ગૈહસ્થ આવીને ઉભા રહ્યા. અમે ક્યાંથી આવ્યા છીએ અને ક્યા જઇ રહ્યા છીએ વગેરે પૂછપરછ કરવા લાગ્યા. પરંતુ અમે તેઓને
ઓળખતા ન હોવાને કારણે તેમને ટાળી રહ્યા હતા. તેઓ તરતજ બોલ્યા,``ડરો નહીં હું પણ બાપૂભક્ત છું. તમારી ગાડી ઉપર બાપૂનો ફોટો જોયો તેથી જ હું તમારી મદદે આવ્યો છું.'' આ સાંભળીને અમને થોડી ધરપત થઇ. 

એ અજાણી વ્યક્તીએ તાબડતોબ એક મારુતી વ્હેન ભાડે થી મંગાવી. અમરો બધો સામાન ખૂબજ કાળજીપૂર્વક અમારી ગાડીમાંથી ભાડાની ગાડીમાં પોતે મૂકી આપ્યો. હું મારી સખી અને મારો ડ્રાયવર ઘબરાતા ઘબરાતા પોલિસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પહોંચ્યા બાદ અમે પ્રથમ જ પ.પૂ. સમીરદાદાને મુંબઇ ફોન કરીને મેસેજ મોકલાવ્યો. શ્રી સમીરદાદાએ તરત જ અમને ફોન લગાવ્યો અને ઘણી ધીરજ બંધાવી. ઉપરાંત સાતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓને તાબડતોબ મોકલવાની વ્યવસ્થા કરુ છું એમ પણ કહ્યું. અમને ખૂબ જ સારૂ લાગ્યું.

દાદાએ કહ્યા પ્રમાણે માત્ર વીસ જ મિનિટમાં સતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. ત્યાં આવીને તેઓએ આખો મામલો સંભાળી લીધો. કેસના પેપર્સ પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા કે થયેલા અકસ્માતને કારણે ગાડીને જે જબરદસ્ત નુકસાન થયુ હતુ તેની ભરપાઇ અમને મળી શકે. આટલા મોટા અકસ્માતને કારણે મારી ગાડીનો સાવ ખુદડો બોલાઇ ગયો હતો તેને પણ ટ્રકદ્વારા મુંબઇ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. અમારા ડ્રાયવરને વાઇના કાર્યકર્તાના ઘરે આરામ કરતો છોડીને હું અને મારી સખી સ્ટેજ શો માટે કોલ્હાપુર સુખરૂપ રવાના થયા.

આ કપરા કાળમાં મુંબઇથી પ.પૂ. સમીરદાદાની ઓફીસના માણસે સતત અમારા સંપર્કમાં રહેતા હતા. અને અમને ધીરજ બંધાવી રહ્યા હતા. 15 ફેબ્રુવારીનો અમારો સ્ટેજ શો જબરદસ્ત હીટ થયો. શો પતી ગયા પછી શોના વ્યવસ્થાપકો સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યુ કે શો ચાલૂ હતો તે દરમ્યાન આખો વખત ત્રણ
સફેદ કબૂતર સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. શોના આટલા શોરબકોરમાં તેમ જ ઝળહળતી લાઇટના પ્રકાશમાં પણ તેઓ તેમની જગ્યાએથી એક ઇંચ જેટલા પણ હલ્યા ન હતા અકસ્માત સ્થળે આવેલી સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલી વ્યક્તી અને આ ત્રણ કબૂતર ...... મને પૂર્ણ ખાત્રી થઇ ગઇ. મારી જાણ બહાર સતત મારી સાથે રહેનારા મારા સદ્રગુરુ માઉલી પ.પૂ. શ્રીઅનિરુદ્ધ બાપૂને મારા શતશત પ્રણામ !

હરિ ૐ
Tags: , , ,

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com