હરિ ૐ
સર્વ શ્રદ્ધાવાનો માટે એક ખુશખબર છે - દર વર્ષે શ્રીઅનિરુધ્ધ ગુરુક્ષેત્રમ્માં આયોજીત હનુમાનચલિસા પઠણ આ વર્ષે અધિક આસો માસમાં સોમવાર ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ થી રવિવાર ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ આ સાત દિવસમાં સંપન્ન થશે. પરંતુ આ વર્ષે શ્રીઅનિરુધ્ધ ગુરુક્ષેત્રમ્માં પ્રત્યક્ષ પઠણ કરવુ સંભવ નથી, આ અસુવિદ્યાને ધ્યાનમાં રાખતાં, પાછલા કેટલાક વર્ષનાં રેકોર્ડિંગનો ઉપયોગ કરીને, અનિરુધ્ધ ટીવી,ફેસબુક પેજ, યુ ટ્યુબનાં માધ્યમ દ્વ્રારા, અને આ સાથે "અનિરુધ્ધ ભજન મ્યુઝિક રેડિઓ”નાં માધ્યમથી (ઓડિઓ સ્વરુપે) શ્રદ્ધાવાનો માટે આ પઠણના લાભની ઉપલબ્ધિની સુવિદ્યા પ્રદાન કરવામાં આવી છે.
આ પઠણમાં પ્રત્યેક શ્રદ્ધાવાન પોતપોતાના ઘરે બેસીને એક દિવસ માટે અથવા અનુકુળતા અનુસાર એકથી વધારે દિવસ માટે પણ જપક સ્વરુપે સહભાગી થઈ શકે છે. પરંતુ હંમેશાની પદ્ધતિ અનુસાર, દરરોજ આ પઠણમાં "A'' અને "B'' એમ બે બેચ રહેશે અને જે તે દિવસના પઠણ દરમ્યાન દરેક શ્રદ્ધાવાન જપક બે માંથી એક જ બેચ માટે નામ નોંધાવી શકશે.
પઠણનું ટાઇમ ટેબલ આ મુજબ રહેશે -
આ પઠણમાં સહભાગી થવા માટે શ્રદ્ધાવાન ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ રવિવારથી નીચે આપેલ વેબસાઈટ લિંક પર ક્લિક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.
નામ નોંધાવવા માટે વેબસાઈટ લિંક https://pathan.aniruddha-devotionsentience.com
આ સાથે, જો કોઇ શ્રદ્ધાવાન માટે સમગ્ર દિવસ દરમ્યાન જપક સ્વરુપે સહભાગી થવુ શક્ય ના હોય, તો એ પઠણનાં આ સાત દિવસમાં, દિવસ દરમ્યાન કોઇપણ સમયે પોતાની અનુકુળતા અનુસાર પઠણમાં સહભાગી થઈ શકે છે.
જપક માટે ખાવાનાં કોઇ નિયમ અથવા ડ્રેસ કોડનું કોઇ બંધન નથી, આ વાત પર દરેક શ્રદ્ધાવાન ધ્યાન આપે. પરંતુ માંસાહાર સેવન ના કરે તો શ્રેયસ્કર રહેશે.
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીનાં કૃપા આર્શીવાદથી પ્રાપ્ત આ સુવર્ણ અવસરનો અધિકાધિક શ્રદ્ધાવાન અવશ્ય લાભ ઉઠાવે.
હરિૐ શ્રીરામ અંબજ્ઞ નાથસંવિધ
- સમીરસિંહ દત્તોપાધ્યે
શુક્રવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો